Wednesday 27 February 2019

માનવદેહ ધારણ કરીને આપણી આસપાસ વસતા પ્રેતાત્માઓને કેવી રીતે ઓળખશો?


શું તમારો પનારો ક્યારેય કોઈ એવી વ્યક્તિ સાથે પડ્યો છે જે.....
~~જે અવારનવાર બેધડક કોઈ પણ જાતના સંકોચ શરમ વગર હડહડતું જુઠ્ઠુ બોલતી હોય,
~~જે સાવ સહજ રીતે બોલી ને ફરી જવામાં, વિશ્વાસધાત, છેતરપિંડી, દગો કે છળકપટ કરવામાં માહિર હોય,
~~જે હંમેશા બીજાનું કશુંક પડાવી લેવાની ફિરાકમાં રહેતી હોય,
~~જે ચોવીસે કલાક પોતાની મેલી મુરાદને બર લાવવા જાતજાતના દાવપેચ અને કાવાદાવાઓમાં જ રચીપચી રહેતી હોય,
~~જે રોજ કોઇકને કોઈક કાચા કાનના લોકોની કાનભંભેરણી અને નાદાન લોકોની ઉશ્કેરણી કરવાની કૂટેવ ધરાવતી હોય,
~~જે અમુક ચોક્કસ વ્યક્તિ કે વ્યક્તિઓને ખોટી ચડવણી કરીને કે ઇરાદાપૂર્વક ગેરસમજ ઉભી કરી પોતાની આજુબાજુના લોકો વચ્ચે સતત વૈમનસ્ય, તણાવ, ઉદ્વેગ, ક્લેશ અને કંકાશ પેદા કરી ખુશ થતી હોય,
~~જે કોઈપણ કારણ વગર અચાનક જ જેને વાતની જ કશી ખબર ન હોય તેવી વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે અણધારી રીતે ઝઘડો કરાવવાની તક શોધતી રહેતી હોય,    
~~જે કોઈ વાત કે ધટનાને એકથી વધુ વ્યક્તિઓ વચ્ચે તદ્દન ઉધી, તોડી મરોડીને, ઉમેરો ઘટાડો કરીને, મીઠું મરચું ભભરાવીને કે ખરેખર જરૂર હોય ત્યારે જ નહીં કરીને કેટલાક લોકોને અધ્ધર રાખવા, ભોંઠા પાડવા કે ખોટી દોડધામ કરાવવા માટે જ નહીં પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિને ગણતરીપૂર્વકના જોખમમાં મૂકી એ વાતનો પિશાચી આનંદ લુંટવાને જ પોતાના જીવનની મુખ્ય ઊપલબ્ધિ ગણતી હોય,
~~જે જન્મજાત રીતે અદેખાઈ અને ઈર્ષ્યાથી પીડિત રહેતી હોવાથી એક પળ માટે પણ બીજાની પ્રગતિની તો વાત જવા દો, કોઇનું જરા જેટલું પણ સારૂં થતું ના જોઈ શકતી હોય,
~~જે દંભ, દેખાડો અને બીજાને હલકા ચીતરવામાં સતત પોતાની તમામ શક્તિ ખર્ચતી રહેતી હોય,
~~જે ઊંઘમાં પણ પોતાની હિન વિચારસરણી અને પરપીડનવૃત્તિને પોષતી રહેતી હોય,
~~આટલા કુલક્ષણો જાણે ઓછા પડતા હોય તેમ એનો જ નહીં પણ એના આખા કુટુંબનો અહંકાર હંમેશા સાતમા આસમાને હોય,

દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો માણસ હશે કે જેણે આવી સમાજને કલંકરૂપ વ્યક્તિ કે વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી થયેલા ત્રાસની દુઃખદાયક પીડાનો અનુભવ ના કર્યો હોય! ઈશ્વર ક્યારેક આવા સમાન અવગુણોની ભરમાર ધરાવતા જ સ્ત્રી અને પુરુષને પતિપત્ની બનાવી સમાજના કોઈ એક ચોક્કસ વર્ગની પત્તર ઠોકી નાખે છે! હદ તો ત્યારે થાય છે જ્યારે આવા કજોડામાંનો પુરૂષ પોતે જ તાંત્રિક વિધ્યાનો જાણકાર હોવાથી એવા જ બીજા તાંત્રિકો, મેલી વિધ્યા કરતાં ભુવાઓ, મતિભ્રષ્ટ જૈનસાધુઓ અને કેટલાક અવળે માર્ગે ચઢેલા સિધ્ધ અઘોરીઓના સતત સંપર્કમાં રહેતો હોય છે! એમાંય આવો વ્યક્તિ જ્યારે જ્યોતિષનો જાણકાર અને વ્યવસાવે દાક્તર હોય છે ત્યારે તેના સંપર્કમાં આવતા લોકોના રોગ અને સારી ખરાબ ગ્રહદશા જાણી લીધા પછી એનું અસલ પોત પ્રકાશીને કેવળ પોતાનો પાશવી આનંદ લુંટવા માટે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓની અસાધારણ અને અકલ્પનિય હેરાનગતિ કરે છે ત્યારે તો ત્રાસની છેલ્લી પરાકાષ્ઠા આવી જાય છે!!!

બન્ને જણા ભેગા મળીને મેલી વિધ્યા, જાદુ-ટોના, દોરા-ધાગા, માદળિયાં, વીંટી, નંગ, મંત્રેલી પડીકીઓ, કામણ-ટૂમણ, ત્રાટક જેવા પ્રયોગ કરી અમુક ચોક્કસ વ્યક્તિ કે વ્યક્તિઓનું સગપણ ના થવા દેવું, થયેલું સગપણ તોડાવી નાંખવુ, લગ્નવિચ્છેદ કરાવવો, બાળક ના થવા દેવું, કર્ણપિશાચિની સાધીને બીજાના મનના વિચારો જાણી લઈને એનાથી વિપરીત થાય એવા ટોટકા કરવા, અતૃપ્ત આત્માઓ ખાસ કરીને ડાકણ, ચૂડેલ, પ્રેત અને પિશાચને સાધીને પોતાના નજીકના સગાઓના જ ઘરમાં ક્લેશ, કકળાટ, કંકાસ અને ઉદ્વેગ પેદા કરી કૌટુંબિક રીતે અશાંત અને વ્યથિત રાખવા, તેમની સામાજિક રીતે આબરૂ હલકી પાડવી, શારીરિક રીતે સતત રોગગ્રસ્ત અને નબળા રાખવા, વિચારસરણી કુંઠિત અને યાદશક્તિ નબળી પાડી નાંખીને માનસિક રીતે સતત તણાવ ગ્રસ્ત રાખવા, આર્થિક રીતે સતત દેવામાં ડુબેલા રાખવા, તંત્રમંત્રના પ્રયોગ કરી કોઇની આવક જ નહીં પરંતુ આખેઆખી પ્રતિભા જ બાંધી દેવી, વશીકરણ અને પરકાયા પ્રવેશ જેવી સાધના વડે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વ્યક્તિઓ પાસે અણધાર્યું અસાધારણ ખોટું કરાવવું, મૂઠ મારીને કોઈને સતત અસાધ્ય રોગથી પીડિત રાખવો કે પતાવી દેવો વગેરે અનેક જાતના ત્રાસ સતત ફેલાવતા જ રહે છે!!!

જો કે આવી વ્યક્તિઓનું મોત બહું ખરાબ અને પીડાદાયક હોય છે. એક નક્કર સત્ય છે કે આવા કજોડામાંનો પુરુષ મોટેભાગે આળસુ, બેજવાબદાર, વ્યભિચારી અને સરકારી નોકરી કરતો હોય છે અને તે હંમેશાં પહેલો મરે છે. મૃત્યુ પહેલાંના છેલ્લા થોડાક વર્ષોમાં તે સખત ઉંચું લોહી દબાણ, હદ ઊપરાંતનો મધુપ્રમેહ, લગભગ અંધાપો કહી શકાય એ હદે દ્રષ્ટિની ખામી અને અસાધ્ય જાતિય રોગથી પીડાય છે. ખાસ કરીને છેલ્લા કેટલાક મહીનામાં તો પોતાના જ મુત્ર અને ગુદામાર્ગ પરનું નિયંત્રણ ગુમાવી દેવાથી ઘરમાં જ ગમે ત્યારે ગમે ત્યાં પેશાબ અને ઝાડો કરતો હોય છે. જ્યારે મોત આવે છે ત્યારે છેલ્લી પળોમાં કોઈનું સાંત્વન મળવાને બદલે આવી વ્યક્તિ પોતાની જ પત્નીનો અસહ્ય અને અસાધારણ કકળાટ સાંભળતો મૃત્યુ પામે છે! વળી, એનો મૃતદેહ પણ કોઈ ને કોઈ કારણસર અમુક દિવસો સુધી રઝળ્યા પછી જ અંતિમ સંસ્કાર પામે છે!!! આવાં કજોડામાંની વિધવા સ્ત્રી મોટેભાગે ઘણું લાબું જીવે છે પરંતુ એણે પોતે કરેલા પાપોને કારણે એકલી અટૂલી પડીને પરાણે પોતાના જ મોતની રાહ જોતાં જીવવું પડે છે! એના દુષ્કર્મોનો ભોગ બનેલા લોકોને જેમ એની ઉપર લેશમાત્ર ભરોસો નથી હોતો એમ એ પણ પોતાના સંતાનો કે સગાંસબંધીઓનો જરા સરખો વિશ્વાસ કરતી નથી!

આ લોકો અત્યંત સિફતપૂર્વક એમનું દુષ્કર્મ કરે છે! તમે કદાચ જાણી પણ જાવ કે તેઓ કશુંક ખોટું કરી રહ્યા છે, છતાંય તદ્દન નફ્ફટાઈપૂર્વક એ તો એમનું નીચકર્મ કરતાં જ રહે છે! આવી વ્યક્તિઓ જ્યારે પોતાના સગા બાપ, ભાઈ અને બનેવી જેવી એકદમ નજીકની જ વ્યક્તિઓને અસાધારણ રીતે હેરાન પરેશાન કરીને છેવટે એમનું કાસળ કાઢી નાખવામાં જો લેશમાત્ર ખચકાટ ના અનુભવતી હોય ત્યારે પારકાનું ખરાબ કરવામાં કેટલી હદે જઈ શકે એની તો કલ્પના કરવી પણ અશક્ય છે! મૂળ વાત એક જ છે કે આવા લોકોની અસલિયત અને એમના કરતૂતોથી અજાણ કે એમને સારી રીતે જાણતી હોય એ બન્ને પ્રકારની વ્યક્તિ માટે એમના ત્રાસમાંથી ઊગરવાનો કે પોતાનું કશું પણ ખરાબ થતું અટકાવવાનો કોઈ ઉપાય હોતો જ નથી! આવા કજોડાના સંપર્કમાં આવતી દરેક વ્યક્તિએ કેવળ પોતાના ભાગ્ય પ્રમાણેનું કશું ને કશું સહન કરે જ છૂટકો હોય છે! કારણ કે તેઓ કોઈની ગેરહાજરીમાં પણ એમનો ધાર્યો હેતુ પાર પાડી શકતા હોય ત્યારે કોઈ કરી પણ શું શકે?

આશ્ચર્ય તો એ વાતનું છે કે ઈશ્વરે એટલાં માટે જ એમનું સર્જન કર્યું હોય છે! હિંદુ ધર્મશાશ્ત્રોમાં ખૂબ જ સ્પષ્ટ ઉલ્લેખ છે કે દરેક જીવે તેના પૂર્વ જન્મોના સંચિત અને વર્તમાન કર્મો અનુસારનું પાપ-પૂણ્યનું ફળ ભોગવવું જ પડે છે. એ દ્રષ્ટિએ આવી કોઇ વ્યક્તિનું આપણી આસપાસ હોવું એ આપણા કર્મોનું જ ફળ છે. હિંદુ શાશ્ત્રો તો એટલે સુધી કહે છે કે આ સમગ્ર સૃષ્ટિના સંચાલનના એક ભાગરૂપે ઈશ્વર પોતે જ કોઈ એક ચોક્કસ વ્યક્તિ કે વ્યક્તિઓના સમુહના પાપોનો હિસાબ ચૂકતે કરવા પ્રેતયોનિમાં ભટકતા કોઈ જીવને તેના કર્મો અનુસારનો માનવદેહ ધારણ કરવા દે છે! એનો સીધો અર્થ એક જ થાય છે કે આવી વ્યક્તિ ચોક્કસપણે જો તે પુરુષ હોય તો મનુષ્ય સ્વરૂપે હોવા છતાં ભૂત, પ્રેત, પિશાચ કે બ્રહ્મરાક્ષસ હોય છે અને જો સ્ત્રી હોય તો ડાકણ, શાકણ કે ચુડેલ છે.

એટલે જ તો છેક સતયુગથી હિન્દુ ધર્મના લગભગ બધાં જ કવચ, સ્તવન, સ્તુતિ, સ્તોત્ર કે ચાલીસા ઈશ્વરના જુદા જુદા નામ સ્વરૂપની ભુત-પ્રેતથી રક્ષણ પુરૂં પાડવાની અપાર શક્તિનો મહિમા ગાતાં આવ્યા છે. સૌથી વધુ લોકજીભે ચડેલા હનુમાનચાલીસામાં “ભુત પિશાચ નીકટ નહીં આવે”, તેમજ દત્તબાવનીમાં “મૂઠ ચોટ ના લાગે જાણ” અને “ડાકણ, શાકણ, ભેંસાસૂર ભુત પિશાચો ઝંડ અસૂર” જેવાં પદો દ્વારા વિવિધ પ્રકારના પ્રેતાત્માઓની હયાતીનો ખુલ્લેઆમ સ્વીકાર કરાયો છે. તંત્રશાશ્ત્ર તો ફકત જુદી જુદી જાતના પ્રેતાત્માઓનું આહ્વાહન, તેઓને વશ કરવા અને ભગાડવા માટેના મંત્રોનું જ બનેલું છે!

બીજી તરફ એક નગ્ન સત્ય છે કે આજ દિન સુધી પ્રેત યોનિ અને ખાસ તો ગર્ભથી જ માનવદેહ ધારણ કરીને વસતા દુરાત્માઓ સબંધે ક્યાંય કોઈ નક્કર અભ્યાસ હાથ ધરાતો નથી! લઠ્ઠો પીવાથી મોત થાય તોય પરિવારને સરકાર વળતર આપે છે પરંતુ આવી વ્યક્તિઓના ત્રાસ સામે વળતર તો દૂર, તેની સામે રક્ષણ પુરૂં પાડતો કોઈ કાયદો દુનિયાના કોઈ દેશમાં નથી! કોઈ પિડીત વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જશે તો તેને પાગલ ઠરાવી તરતજ હાંકી કઢાશે અને જો તે કોર્ટમાં ન્યાય માગશે તો પુરાવાના અભાવે અરજી લેવાશે જ નહીં! એટલું જ નહીં, ક્યારેય કોઈ સામાજિક સંગઠને આવા રંજાડ સામે સામાજિક ન્યાય કે સમાજ કલ્યાણ ખાતાને યોગ્ય પગલાં લેવાનું સૂચન કરવા જેટલી પણ કદી હિંમત કરી નથી!  

આજના યુગની વરવી વાસ્તવિકતા છે કે નેવું ટકાથી વધું લોકો જ્યાં સુધી પોતાને અનુભવ થતો નથી ત્યાં સુધી જાહેરમાં ભુત-પ્રેત હોવાનું સ્વીકારવાને બદલે આવી વાતને તરત હસી નાંખે કે ઉડાવી દે છે એટલું જ નહીં ખરાબ રીતે વખોડી નાંખે છે! બુદ્ધિવાદીઓ, એમાંય ખાસ કરીને “કહેવાતા આધુનિક” લોકો આખા જગતને ફક્ત ભૌતિક દ્રષ્ટિકોણથી જુએ છે! તેઓ નહીં દેખાતું બધું કાલ્પનિક, અવાસ્તવિક અને કેવળ પારંપારિક કપોળ કલ્પીત માન્યતાઓ પર આધારિત ગણીને આવી વાત પર વિશ્વાસ કરતાં નથી! એમના મતે તર્ક, બુદ્ધિ, પ્રયોગ અને પુરાવાથી જે સિદ્ધ થાય તે જ સાચું!!!

આ એકમાત્ર કારણે સદીઓથી માનવજાતની આ નબળાઈ રહી છે કે આવી વ્યક્તિ જો તે પુરુષ હોય તો “નાલાયક, નીચ કે હલકટ અને જો તે સ્ત્રી હોય તો નફ્ફટ નાગી કે કુલટા” માની લઈને કુટુંબીજનો, પિત્રાઈ-મોસાળી સગાસંબંધીઓ, પાડોશીઓ, સહકર્મચારીઓ અને મિત્રો આવી વ્યક્તિને એક અનિવાર્ય દૂષણ ગણી પોતપોતાના ભાગ્ય અનુસાર છેતરાતા અને પીડાતા રહી પડ્યું પાનું નિભાવી લેતાં હોય છે! મારા જ અંગત વર્તુળમાં ઉપર દર્શાવેલું બધું જ અક્ષરસ લાગું પડે છે તેવાં કજોડામાંની એક વિધવા જીવનના નવમાં દાયકામાં એકલી અટુલી જીવી રહી છે. તેનો પતિ સાતેક વર્ષ પહેલાં અક્ષરસ ઉપર દર્શાવેલી બધી જ પીડા યાતના વેઠી કમોતને ભેટ્યો હતો. આ કજોડુ તેમના સંપર્કમાં આવેલા નેવું ટકાથી વધુ લોકોમાં તેમના મૂળ નામ અરુણા અને ઠાકોરલાલને બદલે “ગર્ભથી જ માનવદેહ ધારણ કરીને જીવતી ચુડેલ અને પિશાચની જોડી” તરીકે પંકાઈ ચુક્યું છે.

આવું કજોડુ એમણે ધારણ કરેલો દેહ એમના જ દુષ્કર્મોનો ભાર વેંઢારતા થાકી જઈને છેક છુટી પડે ત્યાં સુધીના સમગ્ર દાંપત્યજીવન દરમિયાન કંઇક લોકોનું ધનોત પનોત કાઢી નાંખે છે! એટલે મોટેભાગે લોકો એક અનુભવ થઈ ગયા પછી આવી વ્યક્તિથી શક્ય એટલાં દૂર રહેવામાં જ પોતાની ભલાઈ માને છે. ના છૂટકે જો પ્રસંગોપાત ભેગા થવાનું થાય તો સતર્ક રહી ગમેતેમ કરી સમય પસાર કરી લે છે. નવાઈ તો એ છે કે આવા લોકોનો ભોગ બનેલી વ્યક્તિ એમના વિશે બીજા કોઈને કદી ફરિયાદ કરી શકતી નથી, જાણવા છતાંય બીજાને ચેતવતી નથી અને ક્યારેય એમની સામે થવાનો તો વિચાર પણ કરતી નથી!!!

આનાથી પણ ખતરનાક એક દાખલો ઊગ્ર પિતૃદોષ ધરાવતા કુટુંબના બેમાંના નાના ભાઈને ત્યાં જન્મેલી ઉપર દર્શાવેલા બધાં જ લક્ષણો ધરાવતી હાલ ૭૪ વર્ષની રશ્મિ નામની સ્ત્રીનો છે. જન્મ પહેલાંના અને પછીના મળીને કુલ ૧૮૨ વર્ષોમાંની સૌથી અશુભ ઘડીએ કાળીચૌદશની રાત્રે બરાબર ૧૨ વાગે જન્મેલી આ સ્ત્રી નિર્વિવાદપણે ગર્ભથી જ માનવદેહ ધારણ કરીને રહેતી એક કુળકલંક, કુળનિકંદક અને કુળપિડક ડાકણ છે કેમકે એનું આખું જીવન એવું જ રહ્યું છે!

જન્મ પછી એના પિતાની આવકમાં અણધાર્યો ધટાડો થયો, પતિપત્ની વચ્ચે કંકાશ, કુટુંબ ક્લેશ વધતો ગયો અને સામાજિક પ્રતિષ્ઠા ઘટીને છેક તળીયે પહોંચી ગઈ! પરિણામે એની માતાનું અકાળે અવસાન થયું. આ સ્ત્રીએ અસાધારણ ચાલાકીપૂર્વક પોતે અને કુટુંબના અન્ય સભ્યો દ્વારા સતત ઉપેક્ષિત રાખી મહેણાં-ટોણાનો એવા તો મારો ચલાવ્યો કે એકલો અટુલો પડી સાત સભ્યોના કુટુંબના આર્થિક ભાર વેંઢારતા બાપનું છેવટે હ્રદયરોગથી મૃત્યુ થયું! બીજી છોકરીઓમાં જાતિય આવેગ અને કામસુખની સમજ જે ઉંમરે આવે તેનાંથી ઘણી વહેલી પ્રવૃત થઇ ચુકેલી આ સ્ત્રી એના શરીરના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગની કામસંવેદના નાશ પામી ત્યાં સુધી ચરસી અને મટકાનું બેટિંગ લેતાં છેલ્લી કક્ષાના હવસખોરની રખાત હતી. આ સ્ત્રી હંમેશા ઘરમાં સતત કજીયા-કંકાસ પેદા કરે રાખીને કુટુંબના બધાં જ સભ્યોને વશમાં રાખવા અને મોટેભાગે ઘરની બહાર જ રહેવા મજબૂર કરવામાં સફળ રહી છે! આ સ્ત્રીએ કુટુંબના સભ્યો વચ્ચે લાગણી કે પ્રેમ પાંગરે જ નહીં અને કોઈ સારી કે પવિત્ર વ્યક્તિનો ઘરના કોઈ સભ્ય સાથે સબંધ થાય જ નહીં એના માટે શક્ય એટલું બધું જ કર્યું! અત્યંત સ્વચ્છંદી તદ્દન હીન વિચારસરણી ધરાવતી આ સ્ત્રીના મગજમાં સેકંડના કરોડમાં ભાગે સાવ નજીવી બાબતે પણ કોઈનું કશું ખરાબ કરવાનું કે કોઇને હેરાન કરવાનો જે વિચાર આવે એટલું ખરાબ દસ જણા ભેગા મળીને દસ વર્ષ પછી પણ વિચારી શકે નહીં! આ સ્ત્રીએ ઉપર જેનો ઉલ્લેખ છે તે કજોડાના મેળાપીપણામાં કુટુંબના સભ્યોને આર્થિક રીતે સતત દેવામાં ડુબેલા રાખવા, પોતાની મોટી બહેન અને બે ભાઈના લગ્ન ના થવા દેવા અને બે પરણિત ભાઈને નિસંતાન રાખવા તાંત્રીક પ્રયોગો અને પ્રેતાત્માઓનો ઉપયોગ કર્યો જેને કારણે એ બધાં જ પ્રેતાત્માઓએ એના ઘરમાં જ કાયમી અડ્ડો જમાવી દીધો છે!

માનવું ના માનવું એ વ્યક્તિગત વાત છે પણ કહેવાય છે કે જો ભોજનમાંથી અન્નદેવતાનો અંશ સમૂળગો નાશ પામે તે પ્રેતભોજન બને છે જે ફક્ત ડાકણો અને પીશાચો આરોગે છે! ઘણી આશ્ચર્યજનક વાત છે કે આ એકમાત્ર કારણે જેવું ઘરમાં જમવાનું બનવાનું શરૂં થાય ત્યારથી અને જો બીજેથી આવ્યું હોય તો જમવાનું શરૂ થાય તે પહેલા સાવ નજીવી વાતે કકળાટ શરૂં થાય જે જમતી વખતે અને જમ્યા પછી થોડી વાર સુધી ચાલે! જેથી જમે કોઈ અને પહોંચે કોઈને! વળી, આ ક્રમ સવારની ચ્હા બનવાથી જ શરૂ થઈ જાય છે એટલે ગમે એટલું શ્રેષ્ઠ જમવા છતાં કુટુંબના કોઈ સભ્યનું શરીર વળતું જ નથી!!!

આ બધી જ વાતને ફકત એક જોગાનુજોગ ગણતા લોકોને આ સ્ત્રીના પિત્રાઈ પક્ષે એકમાત્ર મોટા કાકાના કુટુંબની વાત કરૂં તો આ સ્ત્રીના જન્મ પછી જન્મેલો નાનો ભાઈ માનસિક નબળો રહીને રખડી-રઝળીને અપરણિત મૃત્યુ પામ્યો. આ સ્ત્રીના જન્મ પહેલાં જન્મેલા એક ભાઈ અને એક બહેનના લગ્ન થયા અને સંતાનો પણ થયા. કોઈ અકળ કારણસર મોટેભાગે ઘરની બહાર જ રહેતો મોટા ભાઈનો એકમાત્ર પુત્ર આજે જીવનના સાતમા દાયકામાં પણ અપરણિત છે. બે પુત્રીઓમાંની મોટીએ લગ્ન નથી કર્યા અને ૬૦ વર્ષ પુરા કરી ચુકેલી નાની પુત્રીને બે દીકરીઓ જ છે. પિત્રાઈ મોટી બહેનની દીકરીએ લગ્ન કર્યું નથી જ્યારે ત્રણ પુત્રોમાંના નાના પુત્રના નબળા બાંધાનો હોઈ લગ્ન થઈ શક્યા નહીં, વચલા પુત્રને એકમાત્ર સંતાન દીકરી છે અને સૌથી મોટા પુત્રને બે પુત્રો પરણવાલાયક હોવા છતાં કોણ જાણે કેમ પણ હજુ લગ્ન થઈ શક્યા નથી! આમ આ સ્ત્રીના પિત્રાઈ કુટુંબનો પણ વંશવેલો આગળ વધ્યો નથી! એટલે તે જે કુળમાં જન્મી છે તે કુળનો તો એની હયાતીમાં બીજી જ પેઢીએ નાશ થઇ ગયો છે!!!

એક સ્ત્રી ઘરમાં જ રહીને કુટુંબને કેવી રીતે અને શા માટે પોણી સદી સુધી આટલી હદે પીડીને, કલંકિત કરીને તેનું નિકંદન કાઢી નાંખે? અને એનો તાલમેલ દુનિયામાં અનેક સારા ખોટા લોકોમાંથી ફક્ત પેલા કજોડા સાથે જ કેમ થયો? આ બે પ્રશ્નોએ જગાડેલા કુતૂહલને લીધે આ સંદર્ભમાં જ્યારે મે ખુબ તલસ્પર્શી અભ્યાસ કર્યો તો જાણવા મળ્યુ કે દુનિયાના બધાં જ ધર્મો શરીર અને આત્મા બે અલગ હોવાનું સ્પષ્ટપણે સ્વીકારે છે. હિંદુ ધર્મશાશ્ત્રો મુજબ દેહ નાશવંત છે એનું મૃત્યુ નિષ્ચિંત છે જ્યારે આત્મા અવિનાશી છે જેનું જીવન અનંત છે. મૃત્યુ એ જીવનનો સંપૂર્ણ અંત નથી પણ ફક્ત વિરામ માત્ર છે, મૃત્યુ તો ફક્ત દેહનું થાય છે આત્માનું નહીં. આત્મા જ્યાં સુધી દેહમાં હોય ત્યાં સુધી તેણે ધારણ કરેલા દેહને ચેતન પુરૂં પાડે છે જેથી તે દેહ જીવિત કહેવાય છે. પણ જેવો એમાંથી આત્મા નીકળી જાય એટલે તે જ દેહને મૃત જાહેર કરવામાં આવે છે.

હિન્દુ શાશ્ત્રોમાં અનેક પ્રકારની યોનિઓનો અને જે તે યોનિ મુજબ દેહના સ્વરૂપ અને તેના આયુષ્યની ભિન્નતા નિર્ધારિત હોવાનો ઉલ્લેખ છે. વળી, પુરુષ અને સ્ત્રીનો ભેદ તો ફક્ત એક દૈહિક વિભાજન છે, આત્મિક દ્રષ્ટિએ આવો કોઈ ભેદ હોતો નથી પરંતુ જે તે જીવાત્માની તેના મૃત્યુ સમયે મનની જે સ્થિતિ હોય તે મુજબનું સ્વરૂપ તેને દરેક યોનિમાં પ્રાપ્ત થાય છે. જો કોઈ આત્મા દૈહિક રીતે સ્ત્રીરૂપે જીવન જીવી અંત સમયે પોતાની જાતને સ્ત્રી તરીકેનો જ અનુભવ કરતી મૃત્યુ પામે તો તે અનંતકાળ સુધી ગમે તે યોનિ ધારણ કરે તો પણ સ્ત્રી જ રહે છે. હિન્દૂ ધર્મશાશ્ત્રો અનુસાર દરેક આત્માએ એક યોનિમાં ધારણ કરેલા દેહનું જીવન પુરૂં થયા પછી તેના કર્મફળ અનુસારની બીજી યોનિમાં દેહ ધારણ કરવો પડે છે.

એક યોનિમાંનો દેહ છોડીને બીજી યોનિમાં દેહ મળે ત્યાં સુધીના સમયગાળામાં બધાં જ જીવાત્માઓ અદ્રશ્ય સ્વરૂપે ભટકતા રહે છે. આવા આત્માઓ અદ્રશ્ય તો હોય છે પરંતુ બળવાન નથી હોતા. હિન્દુ શાશ્ત્રોમાં અદ્રશ્ય સ્વરૂપે ભટકતા રહેતા આત્માઓની બનેલી એક વિસ્મયકારી પ્રેતયોનીનો ઉલ્લેખ છે, જેની ઉત્પત્તિ ફક્ત કેટલાક આત્માઓના પાપકર્મો અને વ્યભિચારોથી, અકાળમૃત્યુથી કે મૃત્યુ પછી યોગ્ય રીતે શ્રાદ્ધકર્મ ના થવાથી થાય છે. જો કે મૃત્યુ પામેલા બધા જ લોકોના આત્માઓ પ્રેતયોનિમાં જતા નથી પરંતુ આ બાબત પૂર્ણપણે જે તે આત્માના કર્મો અને તેમની મૃત્યુ સમયની ગતિ પર આધારિત છે. કેટલાક આત્માઓને જીવન દરમિયાન કરેલી કઠિન સાધના, અસાધારણ સદ્કર્મો, દૈવી વરદાન કે તેમનું યોગ્ય રીતે શ્રાદ્ધકર્મ થવાને લીધે દિવ્યગતિ પ્રાપ્ત થાય છે અને સ્વર્ગમાં જાય છે.

જ્યારે કોઈ આત્મા પ્રેતયોનીમાં જાય છે ત્યારે તેવો આત્મા અદૃશ્ય હોવા ઉપરાંત બળવાન પણ થઈ જાય છે. બળવાન બનેલા કેટલાક પ્રેતાત્માઓ અમુક ચોક્કસ સમય, સંયોગ અને સંજોગોમાં ઇચ્છિત દેહ ધારણ કરી શકે છે! જો કે પ્રેતયોનીમાં રહેતા બધાં જ આત્માઓ મનુષ્યદેહ ધારણ કરી શકતાં નથી કારણ કે બધા જ પ્રકારના ભુત યમદેવતાને આધિન હોય છે. વળી, આર્યમા નામના દેવને સર્વ પિતૃઓના અધિપતિ તરીકે માનવામાં આવે છે જે ચંદ્રમંડળમાં નિવાસ કરે છે. આ બન્નેની આજ્ઞા હોય તો જ અદ્રશ્ય અને બળવાન હોવાને કારણે પ્રેતયોનિમાં ગયેલાં કેટલાક આત્મા પૂનઃગર્ભધારણ કરી મનુષ્યરૂપે ફરીથી જન્મ લઈ શકે છે. બીજા આત્માઓ બળવાન હોવા છતાં પ્રેતયોનિમાં ભટકતા રહે છે.

શ્રદ્ધાવાદી આધ્યાત્મિક લોકોનું સ્પષ્ટ માનવું છે કે જેમ પરમાત્મા છે તેવી જ રીતે આત્મા, પિતૃઓ, દેવો અને ભુતોની પણ એક આગવી અલગ દુનિયા છે જે એટલી હદે સુક્ષ્મ અને અગોચર સ્તર પર આવેલી છે કે એને નરી આંખોથી પ્રત્યક્ષ જોવી શક્ય નથી પણ એના અસ્તિત્વનો અનુભવ જરૂર કરી શકાય છે. દુનિયામાં અગણિત મહેલો અને મકાનો, દુકાનો, હોટલો જેવા સ્થળો શાપિત છે જ્યાં ભુતની હાજરી અનુભવાય છે. હિન્દુઓ તેમના પિતૃઓનું પિતૃપક્ષમાં તર્પણ કરે છે જે સિદ્ધ કરે છે કે મૃત્યુ પછી પિતૃઓનું અસ્તિત્વ આત્મા કે ભુતના રૂપમાં હોય છે.

શ્રીમદ્ ભાગવત પુરાણમાં જેવાં હિંદુ ધર્મના સૌથી મહાન ગ્રંથમાં પણ ધૂંધકારીના ભુત બની જવાનું વર્ણન છે. ઇગ્લેન્ડના પ્રખ્યાત પરામનોવિજ્ઞાની એન્ડ્ર્યુ ગ્રીને ભુત-પ્રેતોની અનેક ધટનાઓનું વિશ્લેષણ કર્યા પછી પ્રેતાત્માઓની ૯૮ જાતોના અસ્તિત્વનું સમર્થન કર્યું છે. તેમના મતે જે લોકો મૃત્યુ સમયે ઉદ્વિગ્ન, અશાંત, વિક્ષુબ્ધ, કામનાગ્રસ્ત, ક્રોધિત, આતુર અને અતૃપ્ત ઈચ્છાવાળા હોય તેમણે મોટા ભાગે મરણ પછી ભુત-પ્રેત બનીને લાંબા સમય સુધી એ જ અવસ્થામાં રહેવું પડે છે. હિન્દૂ ધર્મશાશ્ત્રોમાં તો બધા જ આત્માઓને તેમના કર્મો અને મૃત્યુ સમયની ગતિ અનુસાર ભુત નામ આપીને વિવિધ રીતે વિભાજિત કરવામાં આવ્યા છે! વળી, આવા ભુતના ઉપ-ભાગો પણ છે! આયુર્વેદ મુજબ ૧૮ પ્રકારનાં ભુત હોય છે. ભુત એ સૌથી પહેલું પદ છે અથવા એમ કહી શકાય કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે સૌ પ્રથમ તે ભુત બને છે.

ગરુડ પુરાણમાં ભુત-પ્રેતો વિશે જે વિગતવાર વર્ણન ઉપલબ્ધ છે તદ્અનુસાર પુરુષરૂપે મૃત્યુ પામેલા બધાં જ આત્માઓના સારા-ખરાબ કર્મો અનુસાર તેઓને ભુત, પ્રેત, પિશાચ, કુષ્માંડ, બ્રહ્મરાક્ષસ, વેતાલ, યક્ષ અને ક્ષેત્રપાલમાં વહેંચવામાં આવ્યા છે. એ જ રીતે, સ્ત્રીરૂપે મૃત્યુ પામેલા આત્માઓને પણ અલગ અલગ નામો દ્વારા ઓળખવામાં આવ્યા છે. જ્યારે કોઈ કુમારિકા મૃત્યુ પામે છે તો તેના આત્માને દેવી કહે છે પરંતુ જો કોઈ વિવાહિત યુવાન સ્ત્રી અને પ્રસૂતા સ્ત્રી મૃત્યુ પામે તો તે શાકિની બની જવાની શક્યતા રહે છે. આ બધાંમાં પણ જો કોઈ સ્ત્રી તેના મૃત્યુ પહેલા અતિશય ખરાબ કાર્યો કરવાવાળી હોય તો તેનું તેના કર્મો અનુસાર ચૂડેલ અને ડાકણમાં રૂપાંતર થાય છે.

આ બધાં જ પ્રેત યોનિમાં અદ્રશ્યરૂપે ભટકતા રહે છે. આવા આત્માઓને કેટલાક જાણકાર સાધકો ખાસ કરીને ગર્ભથી જ મનુષ્યદેહે જન્મ ધારણ કરીને રહેતા પ્રેતાત્માઓ વશ કરી લઈને ધાર્યું કામ કઢાવી શકે છે! ક્યારેક એકથી વધારે પ્રેતાત્માઓ પાસે કોઈ ચોક્કસ વ્યક્તિના મન કે શરીરનો કબજો લેવડાવી એને હેરાન પરેશાન કરીને એનો પાશવી આનંદ લૂંટે છે તો ક્યારેક આવી વ્યક્તિનું જ નહીં એનાં આખેઆખા કુટુંબનું ધનોત પનોત કાઢી નાખે છે!

ગર્ભથી જ માનવદેહ ધારણ કરીને રહેતા વિવિધ પ્રકારના દુરાત્માઓને ઓળખવા ખૂબ જ કઠીન છે, મોટેભાગે તેઓની આંખ ઓછી પલકે છે, તેઓ બીજાઓ સાથે આંખોમાં આંખ મિલાવીને વાત કરવાનું ટાળે છે અને  ગુસ્સે થાય ત્યારે તેમની કીકીનો આકાર બદલાઈને લંબગોળ કે ચતુષ્કોણ થઈ જાય છે. ખાસ તો તેમની હાજરીમાં એક વિચિત્ર પ્રકારની નકારાત્મક ઉર્જાની અનૂભૂતિ થાય છે. મેં અહીં હિંદુ શાશ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભુતપીડિત વ્યક્તિને તેના દેખાવ, સ્વભાવ અને વાણી વર્તનમાં આવેલા ફેરફાર ઉપરથી કેવી રીતે ઓળખી શકાય છે એનો એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. અચાનક આવેલા આવા પરિવર્તનની વિશેષતા મુજબ જાણી શકાય છે કે જે તે વ્યક્તિ ક્યાં પ્રકારના ભુતથી પીડાય છે.

જો કોઈ વ્યક્તિને સામાન્ય ભુત વળગ્યું હોય, તો તે પાગલ માણસની જેમ વર્તવાનું શરૂ કરે છે. ઘણી વાર કોઈ અભણ, ગમાર કે મૂર્ખ હોવા છતાં તે ખુબ જ બૂદ્વિશાળી માણસની જેમ વર્તે છે. આવી વ્યક્તિને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તે ઘણા બધા લોકો એક થઈને પણ તેને કાબૂમાં લઈ શકતા નથી. તેની આંખો લાલ થઈ જાય છે અને શરીરમાં સતત કંપન રહે છે.

પિશાચના પ્રભાવ હેઠળની વ્યક્તિ હંમેશાં ખરાબ વર્તન કરે છે, જેમ કે નગ્ન થવું, ગંદુ પાણી પીવું, દૂષિત ખોરાક ખાવો, કડવાં વેણ બોલવા! આવી વ્યક્તિ હંમેશા ગંદી રહેતી હોય છે અને તેના શરીરમાં ગંધ આવે છે. મોટેભાગે તે એકાંત ઇચ્છે છે. આ બધું છેવટે તેને નબળું કરી મુકે છે એટલે સમય જતાં એનું શરીર ક્ષીણ થતું જાય છે.

જે વ્યક્તિ પ્રેતથી પીડાય છે તે ચીસો પાડે છે, અહીં તહીં ભાગંભાગ કરે છે, કોઈનું સાંભળતો નથી, જ્યાં હોય ત્યાં દરેક વખતે કોઈને કોઈના વીશે ખરાબ બોલતો રહે છે, ખાવા-પીવામાં સાવ બેદરકાર થઈ જાય છે અને મોટે મોટેથી શ્વાસ લે છે.

જ્યારે નીતિ અને ધર્મનું અનુસરણ કરવાવાળા કોઈ જ્ઞાની બ્રાહ્મણનું અકાળ મૃત્યુ થાય છે કે યોગ્ય રીતે તર્પણ થતું નથી  ત્યારે એ જીવાત્મા બ્રહ્મરાક્ષસ બને છે. બ્રહ્મરાક્ષસને 'જીન' પણ કહેવાય છે. કોઈના શરીરનો કબજો જો બ્રહ્મરાક્ષસ લઈ લે તો પીડિત વ્યક્તિ લાલ રંગમાં રૂચિ લેવાનું શરૂ કરી દે છે, તેનો અવાજ ધીમો પડી જાય છે અને ચાલ ઝડપી હોય છે. તે મોટાભાગે આંખોના હાવભાવથી જ વાત કરે છે અને સતત ઈશારા કરતો રહે છે. તેની આંખો લગભગ ગોળાકાર, મોટી અને તાંબા જેવી હોય છે. બ્રહ્મરાક્ષસ ઘરના કોઈપણ સભ્યને હેરાન કરતા નથી પણ એક વાર કોઈના શરીરમાં દાખલ થઈ ગયા પછી જીનને તેમાંથી દૂર કરવું ખૂબ મુશ્કેલ છે.

જ્યારે પોતાના શરણે આવેલી વ્યક્તિનું રક્ષણ કરવા જતાં કોઈ શક્તિશાળી ક્ષત્રિયનું કે રણભૂમિમાં લડતાં લડતાં કોઇ વીર યોધ્ધાનું દગા, છળકપટથી કે અકાળે અવસાન થાય છે ત્યારે તે જીવનું યક્ષમાં રૂપાંતર થાય છે. યક્ષના પ્રભાવ હેઠળ વ્યક્તિ ખૂબ શક્તિશાળી બને છે. તે હંમેશા શાંત અને શિસ્તમાં રહે છે. આવી વ્યક્તિ બહું ખોરાક ખાય છે, કલાકો સુધી એક જ સ્થિતિમાં જ બેસી રહે છે અને હંમેશાં પોતાની જ મસ્તીમાં રહે છે. બ્રહ્મરાક્ષસની માફક યક્ષ પણ કોઈને હેરાન કરતાં નથી પણ જો કોઈ સામું થાય તો એને મરી જાય ત્યાં સુધી છોડતાં નથી.

એક ખરેખર આશ્ચર્યજનક હકીકત છે કે દુનિયાની મોટાભાગની સ્ત્રીઓ શાકિનીથી પીડાય છે. આવી સ્ત્રીઓને કાયમ આખા શરીરે દુખાવો રહે છે, ક્યારેક ઓચિંતો આંખોમાં કે આંખની ઉપરના ભાગે કપાળમાં દુઃખાવો થાય છે, ઘણીવાર ચક્કર ખાઈને બેભાન થઈ જાય છે. શરીરમાં ધ્રુજારી, અવારનવાર રડું આવવું અને રાડારાડ આવી સ્ત્રીની સામાન્ય ખાસિયત બની જાય છે.

ચૂડેલ પણ મોટેભાગે સ્રીઓને જ વળગે છે. આવી સ્ત્રી ઓછી વાત કરે પરંતુ સ્મિત કરે, સ્વાદની ભારે રસિયણ થઈ જાય, સાત્ત્વિક ભોજન ખાતી હશે તો તામસી (લસણ ડુંગળી) ખોરાક અને શાકાહારી હશે તો માંસ ખાવા લાગશે! મોજ મસ્તી, હરવું ફરવું અને આસપાસની દરેક વ્યક્તિઓનું કોઈ ને કોઈ પ્રકારે શોષણ કરવાની શોખીન હોય છે! કોઈ પણ જવાબદારીથી સતત દૂર ભાગતી આવી સ્ત્રી ક્યારે શું કરશે તેનો કોઈ ભરોસો રાખી શકાય નહીં!

ડાકણ સ્ત્રી અને પુરુષ બન્નેને વળગી શકે છે. ડાકણો મુક્ત રીતે વિચરતી હોવાથી કાયમી એક જ શરીરમાં રહેતી નથી પરંતુ એકવાર જેને વળગે છે તેના જ દેહમાં વારંવાર અવરજવર કરે છે! મોટાભાગના તાંત્રિકોના મતે ડાકણ હંમેશા કાનના રસ્તે જ વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે એટલે કાનનો પરદો ફાટી જવો, કાન દુખવો, કાનમાંથી પ્રવાહીનું વહેવું, સતત સીટી જેવો અવાજ આવવો અને ધીમે ધીમે વધતી બહેરાશને તેઓ ડાકણની હયાતીના લક્ષણો માને છે. ડાકણ પીડિત વ્યક્તિને જ્યારે તેનાથી કશું ખોટું થયું હોય કે થઈ રહ્યું હોય કે તેને જતા નુકસાન બાબતે કહેવામાં આવે અને ખાસ તો કશુંક સારૂં સમજાવવામાં આવે ત્યારે જબરજસ્ત ગુસ્સો કરે છે, તેની આંખો ફરી જાય છે અને તમારી વાત સાંભળતી જ નથી. બીજી તરફ નીચ, શઠ કે ધૂતારાઓને પુરેપુરી શરણે થઈ જાય છે! આવી વ્યક્તિ મોટેભાગે આંખો મીચીને બેસી રહે છે, લઘુતાગ્રંથિથી પીડાય છે અને આત્મવિશ્વાસના અભાવને લીધે તેના જીવનમાં કોઈ જાતનો ઉમંગ હોતો નથી!

મહેશ ભટ્ટ

No comments:

Post a Comment